
ભારતની બ્રોકિંગ ઇન્ડસ્ટ્રી એક મજબૂત વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહી છે. વધુ ને વધુ સંખ્યામાં રિટેલ ઇન્વેસ્ટરો જોડાઈ રહ્યા છે, જેને કારણે અમારા ક્લાયન્ટ્સની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં દર મહિને સરેરાશ 30 લાખ ગ્રાહકો વધી રહ્યા છે.
રિટેલ ઇન્વેસ્ટરોની સંખ્યામાં વધારો થવાનાં અમુક નક્કર કારણો છે, જેમ કેઃ
✓ મોટી છૂટક ભાગીદારી
✓ ટેક્નોલોજી વાપરતા ક્લાયન્ટ્સને ડિજિટલ મીડિયમનો સાથ મળ્યો
✓ કોવિડ પછી લોકો આવકનો બીજો સ્રોત શોધતા થયા
✓ માર્કેટમાં વધેલી લિક્વિડિટીને કારણે એક્ટિવ ટ્રેડર્સની સંખ્યામાં વધારો થયો
અહીં રસપ્રદ બાબત એ છે કે રોકાણકારોમાં થયેલો વધારો માત્ર મોટાં શહેરો પૂરતો જ મર્યાદિત નથી. ભારતનાં ટોપ 13 શહેરોમાં 23% CAGR જોવા મળ્યો છે. રોકાણકારોમાં પ્રચંડ વધારો ધરાવતાં રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. અહીં માસિક CAGR 19% છે, જે દેશમાં સૌથી વધુ વૃદ્ધિ ધરાવતા રેટ પૈકીનો એક છે.
વર્ષ 2000માં સ્થાપિત થયેલું ‘શેરખાન’ એક ફુલ સર્વિસ બ્રોકર છે અને ભારતમાં ઑનલાઇન ટ્રેડિંગની શરૂઆત કરનારી કંપનીઓ પૈકીની એક છે. 2016માં BNP પારિબસ દ્વારા શેરખાનને હસ્તગત કરવામાં આવી અને હવે સંપૂર્ણપણે તેના દ્વારા સંચાલિત થતી સહાયક કંપની છે. આજે 600થી વધુ શહેરોને આવરી લેતી શેરખાન સમગ્ર ભારતમાં પોતાની નક્કર હાજરી પુરાવે છે. દેશભરમાં તેની 140થી વધુ શાખાઓ અને 3500+ બિઝનેસ પાર્ટનર છે. ફેબ્રુઆરી 2022 પ્રમાણે શેરખાન 25 લાખથી વધુ ગ્રાહકો છે, જે રોજના 10 લાખથી વધુ ટ્રેડ કરે છે.
ફ્રેન્ચાઇઝનો વિકલ્પ શા માટે પસંદ કરવો?માર્કેટનું ઓવરઓલ વોલ્યુમ ખાસ્સું ઊંચું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તે સૌથી વધુ છે. આથી, આ માર્કેટ્સમાં ફ્રેન્ચાઇઝ હોવી તે એક સમજદારીપૂર્વકનો નિર્ણય છે.
હાજર રહેનારાઓ માટેના લાભઃ વેબિનારના એક જ અઠવાડિયાની અંદર રજિસ્ટર કરાવનારા યુઝર્સ માટે શેરખાન 17 હજાર રૂપિયાની રજિસ્ટ્રેશન ફી માફ કરી દેશે.


